ફિલ્મ પદ્માવતની રજૂઆત અટકી જવાના કારણે બોલિવુડ ફિલ્મો રજૂ કરવાની ગણરી બગડી ગયા બાદ હજુ સુધી આ સ્થિતીમાં સુધારો થયો નથી.હવે બોલિવુડની અન્ય ફિલ્મોની રજૂઆતની ગણતરી રજનીકાંતની ટુના કારણે પણ ખોરવાઇ ગઇ છે. કારણ કે આ ફિલ્મની રજૂઆતને પણ ફરી એકવાર ટાળી દેવામાં આવી છે. આવનાર મહિનાઓમાં રજૂ થનાર ફિલ્મોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. સંજય લીલાની ફિલ્મ ભારે વિરોધ પ્રદર્શનના કારણે રજૂ કરી શકાઇ ન હી. આ ફિલ્મને મોડેથી નામ બદલીને ૨૬મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવી હતી. આ પિલ્મ ૧૭૫ કરોડની કમાણી સુધી પહોંચી ગઇ છે. આ ફિલ્મે ભલે બમ્પર કમાણી કરી છે પરંતુ અન્ય ફિલ્મોની રજૂઆતને અટકાવી દીધી છે. અનેક વખ પહેલા પણ મોકુફ થઇ ચુકેલી ફિલ્મ ટુ ફરી મોકુફ કરી દેવામાં આવી છે. રજનીકાંતની ફિલ્મ ૧૪મી એપ્રિલના દિવસે રજૂ થવાના બદલે હવે બે-ત્રણ મહિના બાદ રજૂ કરવામાં આવનાર છે. આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી પદ્માવત ફિલ્મની રજૂઆત અટવાઇ જવાના કારણે અન્ય ફિલ્મો ફસાઇ હી. હવે ૪૫૦ કરોડના બજેટ સાથે બની રહેલી ફિલ્મ ટુને વારંવાર મોકુફ કરવામાં આવી રહી છે. અક્ષય કુમારની પેડમેન અને નીરજ પાન્ડેની અય્યારી થોડાક સમય સુધી મોકુફ રહ્યા બાદ હવે નવમી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અન્ય કેટલીક ફિલ્મોની રજૂઆતને ટાળી દેવામાં આવી છે. બોલિવુડમાં ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. ટુમાં રજનીકાંતની સાથે ખુબસુરત એમી જેક્સન નજરે પડનાર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ