Aapnu Gujarat
મનોરંજન

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

ભારે ચર્ચા જગાવી રહેલી પદ્માવત ફિલ્મને લઇને વિરોધ પ્રદર્શન ઉપર ઉતરેલી રાજપૂત કરણી સેનાએ આજે કહ્યું હતું કે, તે બોલીવુડ પિરિયડ ડ્રામા ફિલ્મને નિહાળવા માટે તૈયાર છે. પદ્માવત ફિલ્મને લઇને ઉભી થયેલી મડાગાંઠનો અંત લાવવા માટે ભણશાલી પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ નિહાળવા માટે ઓફર કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે ત્યારે કરણી સેના અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પહોંચેલા કરણી સેનાના નેતા લોકેન્દ્રસિંહ કાલવીએ આજે કહ્યું હતું કે, તેઓ ફિલ્મને જોવા માટે તૈયાર છે. અમે ક્યારેય એવું કહ્યું નથી કે, અમે આ ફિલ્મની નિહાળીશું નહીં. ફિલ્મ નિર્માતાએ એક વર્ષ અગાઉ અમને ખાતરી આપી હતી કે તેઓ અમારા માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરશે. હવે તેઓએ આના માટે પત્ર લખો છે. ભણશાલી પ્રોડક્શને ૨૦મી જાન્યુઆરીએ શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સભા જયપુરને પત્ર લખીને ફિલ્મ નિહાળવા માટે કહ્યું હતું અને એવી ખાતરી પણ આપી હતી કે, ફિલ્મમાં રાજપૂત સમાજની ગૌરવ ગાથા દર્શાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરયા બાદ લોકેન્દ્રસિંહ કાલવી આને લઇને હળવું વલણ અપનાવી રહ્યા છે. કાલવીએ કહ્યું છે કે, ભણશાલી કઇ તારીખે અમને ફિલ્મ બતાવશે તેને લઇને માહિતી આપે. અમે ફિલ્મ નિહાળવા માટે તૈયાર છીએ.

Related posts

મહેશ બાબુએ બોલિવૂડમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી

aapnugujarat

मुझे नहीं लगता कि मैं अभी सफल हूं : दिशा

aapnugujarat

ચિત્રાંગદા બોલ્ડ બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1