સલમાન ખાન, કેટરીના કેફ અને માધુરી દિક્ષિત જેવા મોટા બોલીવુડ સ્ટાર બાદ હવે દિલ્લીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અભિનેત્રી સની લિયોનીનું મીણનું પૂતળું મુકવામાં આવશે. મ્યુઝિયમ તરફથી આપવામા આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સનીના સ્ટેચ્યૂને પ્રખ્યાત હસ્તિઓના સ્ટેચ્યૂ સાથે મુકવામાં આવશે.લંડનના ખાસ કલાકારોની ટીમ દ્વારા સની લિયોનીના મીણની પૂતળા માટે ૨૦૦થી વધારે ખાસ માપ લેવામાં આવ્યા છે અને તેની તસવીરો પણ લેવામાં આવી છે.સનીએ આ અંગે કહ્યું કે, મારું સ્ટેચ્યૂ લગાવવા બદલ મેડમ તુસાદની અભારી છું. મારા માટે મીણની પ્રતિમાનું હોવું ખૂશીની વાત છે. આ પ્રથમ વખત છે જ્યારે હું લાંબી સિટિંગથી પ્રસાર થઈ અને હું ટીમનો આભાર માનું છું. જેણે આ એક યાદગાર અનુભવ બનાવ્યો.હું પોતાની પ્રતિમાને જોવા ખૂબજ ઉત્સૂક છું. અને પોતાના પ્રશંસકોની પ્રતિક્રિયાની રાહ જોઈશ. આ વર્ષના અંત સુધીમાં પ્રતિમા લગાવામાં આવશે.