Aapnu Gujarat
મનોરંજન

૯ ફેબ્રુઆરીએ રોજ પદ્માવતી રિલિઝ થશે

વર્ષ ૨૦૧૭ની સૌથી વિવાદિત ફિલ્મ રહેલી પદ્માવતીની રિલિઝ ડેટને લઇને ઘણો વિવાદ પણ સર્જાયો હતો. પરંતુ આ ફિલ્મને થિયેટર્સમાં જોવાની ઇચ્છા રાખનારાઓ માટે એક ગુડ ન્યુઝ છે.  આ ફિલ્મની રિલિઝ ડેટ આવી ચુકી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ૯ ફેબ્રુઆરીના રોજ પદ્માવતી રિલિઝ થશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ ફિલ્મ જાન્યુઆરીમાં નહી પરંતુ ફેબ્રુઆરીમાં રિલિઝ થશે. એટલે કે આ ફિલ્મ અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’ને જોરદાર ટક્કર આપશે. ફિલ્મને વેલેન્ટાઇન વીકનો લાભ મળી શકે છે.જો કે ફિલ્મ ગમે ત્યારે રિલિઝ થાય પરંતુ ફિલ્મને ઘણું નુકસાન થશે. ફિલ્મનું બજેટ એટલું મોટું છે કે આ બજેટને પાર કરવું ખૂબ જ મુશ્કેલ છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પદ્માવતીની ભૂમિકાને લઇને કરણી સેનાએ સૌ પ્રથમ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ દેશભરમાં આ ફિલ્મને લઇને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં અને ફિલ્મની રિલિઝ ન થવા દેવાની માંગ કરવામાં આવી હતી.

Related posts

સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસની જાણો હકિકત

editor

સની લિયોન તમિળ, તેલુગુમાં પણ હશે

aapnugujarat

મણિરત્નમની ફિલ્મમાં એશ અને અમિતાભ નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1