Aapnu Gujarat
મનોરંજન

કાસ્ટિંગ કાઉચના શિકાર થઇ નથી : સની લિયોને દાવો કર્યો

સની લિયોને કહ્યુ છે કે તે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી.તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચને લઇને લઇને બોલિવુડ અને હોલિવુડ સહિત તમામ જગ્યાએ સ્થિતી હોવા છતાં તે હજુ સધી શિકાર થઇ નથી.  હોલિવુડના દિગગજ નિર્માતા હાર્વી વિન્સટીન પર અનેક પ્રકારના ગંભીર આરોપો યૌન શૌષણને લઇને મુકવામાં આવ્યા હતા. આ આક્ષેપો તેમના પર થયા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પોત પોતાની પ્રતિક્રિયા આ વિષય પર આપી રહ્યા છે. કેટલીક બોલિવુડ અભિનેત્રી કહી ચુકી છે કે તે યૌન શોષણનો શિકાર થઇ ચુકી છે. કેટલીક અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચને લઇને વિસ્તારપૂર્વક માહિતી પણ આપી છે. કલ્કિ કોચલીનથી લઇને ટિસ્કા ચોપડા અને રણવીર સિંહ પણ કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી ચુક્યા છે. તાજેતરમા જ એક ઇન્ટરવ્યુમા બોલ્ડ સ્ટાર સની લિયોને કહ્યુ હતુ કે તે ક્યારેય પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી. તેનુ કહેવ છે કે તેને હમેંશા તેના પતિ ડેનિયલ વીબર અને પોતાની સમગ્ર ટીમ તરફથી મદદ મળી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ થાય છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સની લિયોને કહ્યુ હતુ કે ચોક્કસ ણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉંચની પ્રથા રહેલી છે. માત્ર અભિનેત્રી જ નહી બલ્કે અભિનેતા પણ શિકાર થાય છે. તેતુન કહેવુ છે કે જેટલી આ મુદ્દે વાત થશે તેટલી જ મહિલાઓમાં આ વિષય પર આત્મવશ્વાસ વધશે.સની લિયોન હાલમાં તેની ફિલ્મ તેરા ઇન્તજારને લઇને આશાવાદી છે. જેમાં તેન સાથે અરબાજ ખાન કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૪મી નવેમ્બરના દિવસે રજૂ કરાશે.

Related posts

આવતા વર્ષે અજયની કોમેડી ફિલ્મ આવશે

editor

गरम मसाला २ के लिए तैयार अक्षय कुमार-जॉन

aapnugujarat

બોલ્ડ ફોટોશુટના કારણે દિપિકા ટોલર્સનો શિકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1