Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજનીતિમાં જોડાવવા કમલ હસનને કેજરીવાલની અપીલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં સામેલ થવા તમિળ સુપરસ્ટાર કમલ હસનને આજે અપીલ કરી હતી. ભ્રષ્ટાચાર સામે દેશની લડાઈને મજબૂત કરવા રાજનીતિમાં જોડાવવા કમલ હસનને અપીલ કરવામાં આવી હતી. કમલ હસન સાથે બેઠક બાદ કેજરીવાલે કહ્યું હતું કે, ખુબ શાનદાર બેઠક રહી છે. વિચારોની આપલે કરવામાં આવી છે. કોમવાદ અને ભ્રષ્ટાચાર સામે લડવા કમલ હસને રાજનીતિમાં આવવું જોઇએ. આ બેઠક દરમિયાન દેશમાં અને તમિળનાડુમાં પ્રવર્તી રહેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કમલ હસન સાથે આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. બીજી બાજુ અભિનેતાએ પણ કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તે બાબત ખુબ સારી રહી છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ ંકે, કમલ હસન ફિલ્મ જગતમાં ખુબ લોકપ્રિય નામ ધરાવ છે. રાજનીતિમાં તેમના સમાવેશથી ફાયદો થશે. બંને વચ્ચેની બેઠકને લઇને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા કરવામાં આવી નથી. કેજરીવાલ અને કમલ હસન વચ્ચેની બેઠકમાં કયા મુદ્દા છવાયા તે અંગે પણ હજુ વિગત મળી શકી નથી.

Related posts

राजीव कुमार का बयान अर्थव्यवस्था की बदहाली का कबूलनामा, पीएम मोदी चुप : कांग्रेस

aapnugujarat

૭ મહિનામાં ૭૦ કાશ્મીરી યુવાનો આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાઇ ગયા

aapnugujarat

राहुल गांधी -कांग्रेस को टेक्नॉलोजी का जीरो ज्ञान : बीजेपी का पलटवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1