Aapnu Gujarat
મનોરંજન

બંધ થઇ શકે છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’!

લોકોને ખડખડાટ હસાવનાર સબ ટીવીનો લોકપ્રિય ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. આ શૉ વિવાદને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. સિખ સમુદાય આ શૉ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે આ શૉ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વડા કૃપાલ સિંહ બાંદુગરે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ શૉ એ સિખોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી છે. સિખ ગુરુ ગોવિંદ સિંહને જીવિત સ્વરૂપમાં આ પ્રકારે બતાવું તેમનું અપમાન છે. આવું કરવું સિખ સિંદ્વાતોની વિરુદ્વ છે. કોઇ પણ અભિનેતા પોતાની જાતને ગુરુ ગોવિંદ સિંહના સમાન કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીના લાયક નથી. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના રાઇટર અને ડાયરેક્ટરને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, ટીવી પર આ પ્રકારનો કન્ટેટ ના બતાવવામાં આવે.હાલમાં એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન એક અભિનેતા સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ એપિસોડ બાદ સિખ સમુદાય ગુસ્સામાં હતો. તેમનું કહેવું હતું કે, કોણ પણ જીવિત વ્યક્ત કેવી રીતે ગુરુનું સ્વરૂપ ધારણ કરી શકે? હવે જોવાનું એ રહ્યું કે, આ મામલામાં આગળ કેવો નવો વળાંક આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, આ મામલે કોઇ હજી સુધી કોર્ટ સુધી પહોંચ્યું નથી.

Related posts

अपनी कुछ फिल्मों को देखना पसंद नहीं : शाहिद

aapnugujarat

દીપિકા ૨૦૨૪માં હોલિવૂડ પર પણ કરી શકે છે કબજો

aapnugujarat

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નનો સવાલ પૂછાતાં જ શરમાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1