Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ખાદ્યચીજાેની અછતથી દુનિયા ઉપર આફતના વાદળો ઘેરાયા

ખાદ્યચીજાેની વૈશ્વિક અછતના લીધે દુનિયા ઉપર એક આફતના વાદળો ઘેરાય રહ્યા હોવાની ચેતવણી યુનાઇટેડ નેશન્સ (યુએન) વડાએ આજે આપી હતી.
જળવાયુ પરિવર્તન, કોરોના વાયરસની મહામારી અને આર્થિક અસમાનતા જેવી સ્થિતિઓના કરને ઉભી થયેલી સમસ્યામાં હવે યુક્રેનમાં યુદ્ધના પરીબળનો ઉમેરો થયો છે જેના કારણે ક્યારેય જાેવા મળ્યું ન હોય એ પ્રકારે હજારો લાખો લોકોને અસર થાય એવો ભૂખમરો શરુ થયો છે એમ યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૨માં કેટલીયે જગ્યાએ ભૂખમરો જાહેર કરવો પડશે એવું જાેખમ ઉભું થયું છે અને વર્ષ ૨૦૨૩ની સ્થિતિ તો અત્યારે છે તેના કરતા પણ ખરાબ હશે, એમ ગુટેરસે બર્લિનમાં એકત્ર થયેલા વિકાસશીલ રાષ્ટ્રો અને લગબગ એક ડઝન જેટલા ધનિક રાષ્ટ્રોના અધિકારીઓને વિડીયો મેસેજના માધ્યમથી જણાવ્યું હતું.
વિશ્વ ખેડૂતો જયારે ફર્ટીલાઈઝર અને ઉર્જાના ઊંચા ભાવોથી પરેશાન છે ત્યારે એશિયા, આફ્રિકા અને અમેરિકા ખંડના પાક ઉપર તેની અસર જાેવા મળશે. અત્યારે અનાજ એકત્ર કરવાની સ્મ્ય્સા છે જે આવતા વર્ષે અનાજની અછતની સમસ્યા બનશે. આવી આફતની માઠી અસરથી કોઈપણ દેશ બાકાત રહેશે નહી, એમ તેણે ઉમેર્યું હતું.
અત્યારે યુએન યુક્રેન અનાજની નિકાસ કરી શકે અને રશિયા પણ કોઇપણ પ્રતિબંધ વગર અનાજ અને ફર્ટીલાઈઝર વૈશ્વિક બજારમાં વેચી શકે એના માટે વાટાઘાટ ચલાવી રહ્યું હોવાનું ગુટેરસે જણાવ્યું હતું. તેણે અમીર રાષ્ટ્રો ગરીબ રાષ્ટ્રોના દેવા માફ કરે એવી અપીલ પણ કરી હતી.

Related posts

બાંગ્લાદેશમાં ૧૪ વર્ષ જૂના કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સહિત ૧૯ને ફાંસીની સજા

aapnugujarat

नेपाल ने भारत में बनी स्ट्राजेनेका कोरोना वैक्सीन को दी मंजूरी

editor

Soros and India

aapnugujarat

Leave a Comment

UA-96247877-1