Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઔરંગાબાદમાં રાજ ઠાકરેને રેલી યોજવા મંજૂરી

લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. કડક શરતો સાથે પહેલી મેના રોજ ઠાકરેને સાંસ્કૃતિક ક્રીડા મેદાન મંડળ મેદાનમાં બેઠકની મંજૂરી મળી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ પોલીસે ઔરંગાબાદમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આવામાં ઠાકરેની રેલી પર શંકાના વાદળો છવાયા હતા. ઔરંગાબાદ પોલીસ તરફથી ૯મી મે સુધી પ્રતિબંધો લદાયા હતા. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અગાઉ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા અંગે સરકારને અલ્ટીમેટમ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટી જવા જાેઈએ. નહીં તો તેઓ મસ્જિદોની બહાર મોટા અવાજે હનુમાન ચાલીસાના પાઠ પઢશે. પહેલી મેના રોજ જનસભા બપોરે ૪.૩૦ વાગ્યાથી લઈને ૯.૪૫ વાગ્યા સુધી થઈ શકશે અને આયોજન સ્થળ તથા સમય બદલાશે નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા લોકો શિસ્તનું પાલન કરશે. આ સાથે જ બેઠક દરમિયાન કે પછી કોઈ પણ પ્રકારના આપત્તિજનક નારાબાજી, તોફાનો કે ખોટો વ્યવહાર થવો જાેઈએ નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા વાહનોને પોલીસ તરફથી નક્કી કરાયેલા રસ્તે થઈને જવું પડશે તથા લેન બદલવાની મંજૂરી નહીં રહે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશ દરમિયાન આ વાહોનએ નિર્ધારિત સ્પીડ લિમિટનું પાલન કરવું પડશે. મીડિયા રિપોર્ટ મુજબ કાર્યક્રમના આયોજન સ્થળ પર વધુમાં વધુ ૧૫ હજાર જેટલા લોકો સામેલ થઈ શકે છે. આવામાં ૧૫ હજાર લોકોને જ કાર્યક્રમમાં બોલાવવા જાેઈએ. વધુ લોકોને આમંત્રિત કરવામાં આવશે તો અસુવિધા બદલ આયોજક જ જવાબદાર રહેશે. આયોજન દરમિયાન આર્મ્સ એક્ટનો ભંગ થવો જાેઈએ નહીં. ઈવેન્ટ દરમિયાન કોઈ પણ હથિયાર, તલવાર, વિસ્ફોટક ચીજાેનું પ્રદર્શન થવું જાેઈએ નહીં. બેઠક દરમિયાન એ વાત સુનિશ્ચિત થવી જરૂરી છે કે કોઈ વ્યક્તિ કે સમુદાયનું અપમાન ન થાય. લાઉડસ્પીકરના ઉપયોગથી વાયુ પ્રદૂષણના નિયમનો ભંગ થવો જાેઈએ નહીં. આમ થવા બદલ વ્યક્તિને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ૫ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય પણ પોલીસ તપાસ, બેરિકેડ, વાહન પાર્કિંગ, ટ્રાફિક સહિત અનેક ચીજાેને લઈને નિયમો જારી કરાયા છે.

Related posts

लोकसभा चुनाव में नहीं चला ७२ हजार, भारी पड़ा चौकीदार

aapnugujarat

દેશના ૧૨ રાજ્યોમાં વીજ સંકટ

aapnugujarat

લોકસભામાં સ્મોક એટેક કરનારાને ૧૦ લાખની સહાયની પન્નુની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1