Aapnu Gujarat
ગુજરાત

લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

લોકોની સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા તથા જીલ્લા કક્ષાએ “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

નિવાસી અધિક કલેકટર અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તાલુકા કક્ષાએ દરમાસના ચોથા બુધવારે યોજાનાર તાલુકા સ્વાગત કાર્યક્રમ એપ્રિલ-૨૨માં તા.૨૭/૦૪/૨૦૨૨ના રોજ સંબધિત મામલતદાર કચેરીએ યોજાનાર છે. અરજદારઓ એ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો, ફરિયાદો તા.૧૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં સંબધિત મામલતદાર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે.

જેથી તેનો સમાવેશ તાલુકા કક્ષાએથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય. અગાઉ અનેક પ્રકારની ફરિયાદો મળી હોવા કારણે લોકોને સમસ્યા ના નિવારણ માટે આ આયોજન કરાયું છે.

જીલ્લા કક્ષાએ દરમાસના ચોથા ગુરુવારે યોજાનાર જીલ્લા સ્વાગત કાર્યક્રમ એપ્રિલ-૨૨માં તા.૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ કલેકટર કચેરી, જીલ્લા સેવાસદન, સુભાષબ્રીજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ ૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે. અરજદાર ઓએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત તેમના પ્રશ્નો, ફરિયાદો તા.૧૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ છે. જેથી તેનો સમાવેશ જીલ્લા કક્ષાએથી જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.

Related posts

એસ.જી.હાઈવે પર આવેલ ઈસ્કોન ગાંઠીયા રથ સહિત સાત દુકાન સીલ કરી દેવાઈ

aapnugujarat

રવિયાણા ગામના યુવકે પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું

editor

ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ થયેલું મહાસંમેલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1