અમરેલી નગ૨પાલિકા દ્વારા વર્કઓર્ડર આપી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ખાત મર્હુત કરી રસ્તાના કામો ચાલુ કરવામાં આવ્યા. પરંતુ હાલમાં રેતી ના કા૨ણે આ તમામ રસ્તાના કામો ઉભા રખાવી દેવામાં આવ્યા છે. જેના કા૨ણોસ૨ શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. કારણકે કોન્ટ્રાકટરના કહેવા મુજબ રેતી ન મળતી હોવાના કારણે આ કામો હાલ પુરતા ઉભા રાખી દેવામાં આવ્યા છે. જયારે અંદાજીત ૯% અપ ભાવો મંજુર કરી આ કામો આપવામાં આવ્યા છે. આમ છતા હાલ રેતીના અભાવે આ કામો કહેવા કારણોસર ઉભા રાખી દેવામાં આવ્યા છે. ઉપરાંત ૯% અપ ભાવો મંજુર કરવા આવે. છતાં માત્ર ગેરરીતી આચ૨વાના ઇરાદે રેતી બાનુ બનાવીને કામ ઉભા રાખી દેવામાં આવ્યા છે. જયારે રેતી ન હોય તો કોન્ટ્રાકટ૨ને આજુબાજુના વિસ્તારમાં લીઝ ચાલુ હોય તેવી જયાએ રેતી મેળવીને કામ પુરૂ કરવાનું હોય છે. જયારે ૩૦ દિવસ ઉપ૨ાંતથી જે તે વિસ્તારના શહેરીજનોને રસ્તાનું કામ પુર્ણ ન થવાથી હાલાકી ભોગવવાનો વારો આવી રહેલ છે. તો આવા કોન્ટ્રાકટરોને કોની મીઠ્ઠી નજરની નીચે છાવરવામાં આવી રહયા છે. આ કામ કોના કહેવાથી ઉભા રખાવી દેવામાં આવ્યા છે ? તેઓ પણ પ્રશ્ન ઉભો થયો છે. વ્હેલીતકે આ રોડના ઉભા રાખેલા કામને ચાલુ કરવા આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે.