સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડીયાર તળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે ગંગાજળીયા તળાવમાંથી મળેલા મૃતદેહની ઓળખ પણ મળી નથી ત્યા આજે વધુ એક મૃતદેહ મળી આવતા શિહોર પોલીસ તથા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો. ભાવનગરના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકની લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી પોલીસે મૃતકની તપાસ હાથ ધરી પીએમ અર્થે સિહોર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.