ખ્યાતનામ કલાકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બનાવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલ હવે એનએસડીની કમાન સંભાળશે. પરેશ રાવલ હવે એનએસડીમાં પ્રસિદ્ધ રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણની જગ્યા લેશે. આપને જણાવી દઈએ કે, અર્જૂન દેવને ૨૦૧૮માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ બનાવ્યા હતા. ત્યારે હવે તેમની જગ્યા પરેશ રાવલ લેવાના છે. આ માટે પરેશ રાવલની નિમણૂંક અંગેની જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે સોશિયલ મીડિયા પર આપી હતી.