બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામે લાભપાંચમના દિવસે ગ્રામ પંચાયતના પટાંગણમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંખેડાનાં ધારાસભ્ય અભેસિંહ તડવી, સંખેડા એપીએમસી વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, સંખેડા મહામંત્રી ખુમાનસિંહ, બોડેલી મહામંત્રી પરિમલ પટેલ, બોડેલી પૂર્વ પ્રમુખ મનોજ શાહ, તાલુકા પંચાયત સદસ્ય ગોપાલભાઈ, ચિખોદ્રા સરપંચ મંજુલાબેન, ડેપ્યુટી સરપંચ, જિલ્લા સ્વામી વિવેકાનંદના કન્વીનર ભાવેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યનું ગ્રામજનોએ ઉમળકાભેર ફુલહારથી સ્વાગત કર્યું હતું. ધારાસભ્યએ પણ ગ્રામજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે લાભપાંચમના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કરતા ગ્રામજનોને જણાવ્યું કે કોસીંદ્રા,ચિખોદ્રા ,નવાગામ, વડીવાળા, કાશીપુરા, ભીલવાણીયા સહિત ૧૭ ગામોને જોડતો પુલ જે તૂટી ગયો હતો તેને સરકારે નવો બનાવવાં ૧૨ કરોડ રૂપિયા મંજુર કરી જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે જેની જાહેરાતની સાથે જ ગ્રામજનોએ તાળીઓ પાડી ભારત માતા કી જયનો જયઘોષ કરી છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી સહીત તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તડવીએ જણાવ્યું કે આ ચિખોદ્રા ગામના જ પૂર્વ મુખ્યમંત્રીએ લો લેવલનો પુલ બનાવી ચોમાસા દરમિયાન અહીંના અનેક ગામોને જે મુશ્કેલી પડતી હતી તેનો આજે અંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને આભારી છે.
આ વિસ્તાર છેવાડે આવેલો હોવા છતાં વિકાસના અનેક કાર્યો આ સરકારમાં થઇ રહ્યા છે આ પુલની પહોળાઈ પણ ૧૦ મીટર કરવામાં આવેલી છે ધારાસભ્ય અભેસિંહે ગ્રામજનોને નવા વર્ષ અને લાભપાંચમ નિમિત્તે મહત્વની જાહેરાત કરી તેના ખાતમુહૂર્ત માટે નાયબ મુખ્યમંત્રીને ટૂંક સમયમાં જ બોલાવવામાં આવશે તેવી જાહેરાત કરી આવેલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવી જાહેરાત માટે ખુશી વ્યક્ત કરી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ