Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમા નીકળનાર રથયાત્રાના આયોજન માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામા શાંતિ સમિતિની બેઠક યોજાઇ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલા ઐતિહાસિક રામ મહેલ મંદિરેથી અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળનાર છે જેના આયોજનના ભાગરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં આગામી 4 જુલાઇ એ નિકળનાર ભગવાન જગન્નાથજીની 37 મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના આયોજન માટે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં રામ મંદિરના મહંત, રથયાત્રા સમિતિના સભ્યો, પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર, વિવિધ સામાજિક આગેવાનો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા આયોજન,રોડ મેપ, સ્વચ્છતા, શાંતિ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહીતના મુદ્દાઓની ચર્ચા કરવા આવી હતી.

Related posts

पुलिस की ढिलाई पर जज ने कहा, सिंघम जैसे बनें अफसर

aapnugujarat

સુરતના ડાયમંડ ઉદ્યોગને ૧,૦૦૦ કરોડનું નુકસાન

editor

ગ્રામ્ય મહિલા પોલીસ મથક બોપલમાં શરૂ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1