શુક્રવારે હાર્દિકને સુરેન્દ્રનગરમાં એક સભામાં જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિક પર હુમલા અંગે કોગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા ૩ વર્ષથી વિપક્ષ પર હુમલાઓ થાય છે. ક્યારેક આઈટીની રેડ, હેલિકોપ્ટર ન ઉતારવા દેવું આમ ભાજપ ભયનો માહોલ પેદા કરે છે.
ભાજપા નિરાશ થઈને આવા કૃત્યો કરી રહ્યું છે. ત્યાં જ આ મુદ્દે શૈલેષ પરમારે કહ્યું કે, જાહેર પ્રજામાં હાર્દિક પટેલનો પ્રભાવ વધે છે એટલે ભાજપા ડરી ગઈ છે પરંતું હાર્દિક પટેલ આ તમાચાથી વધુ મજબુત થશે.