પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ‘સ્વચ્છતા હી સેવા આંદોલન’માં સહભાગી બનવા માટે આહવાન કર્યુ છે અને દિવાળીના સમયે આપણે ઘર ગમે તેટલુ સ્વચ્છ અને સાફ હોય તો પણ સમગ્ર પરિવાર દિવાળી આવતાં જ ઘરના દરેક ખૂણાને સ્વચ્છ બનાવવામાં જોડાઈ જઇએ છીએ એવી જ રીતે આપણે પણ દેશના દરેક ખૂણામાં સફાઈનો આ સ્વભાવ દરેક મહીને, દરેક વર્ષે ચાલુ રાખવા જણાવેલ છે ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ (સીઆઇએસએફ) વિરમગામના જવાનો પણ જોડાયા છે. વિરમગામ શહેરના બસ સ્ટેન્ડમા સીઆઇએસએફ જવાનો અને એસ.ટી કર્મચારીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીઆઇએસએફ જવાનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા