બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર માં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી સંતો ભક્તો વિવિધ વસ્તુઓ થી હિંડોળા ની સજાવટ કરી ભગવાન ને હિંડોળે ઝુલાવવા માં આવે છે તે અંતર્ગત બિસ્કીટ ના અદભુત હિંડોળા ના દર્શન કરવા ખુબજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહયા છે. બાવળા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાએ આકર્ષણ જમાવ્યું છે.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા