વેરાવળ તાલુકાના ડારી ગામના દલિતો સમાજના ખેડુતોએ ખેતી લાયક જમીન ફાળવવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે જેના ભાગરૂપે આજે આંદોલનકારી અને યુવા એડવોકેટ કરશનભાઇ રાઠોડ અને જીલ્લાનાં આગેવાનો પ્રવિણભાઈ આમહેડા તેમજ અન્ય આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે જમીનનું સર્વ કરી આપવાનો પરિપત્ર મામલતદાર કચેરીએ આપી અને જાણ કરેલ જ્યારે કલાકની અંદર જ મામલતદાર આંબલીયા અને કચેરીના અધિકારીઓ દ્વારા છાવણીની મુલાકાત લઈ અને આંદોલનકારી કરશનભાઇ રાઠોડ ને સાત દિવસમાં ઉચ્ચ સરકારમાં કાર્યવાહીની ખાતરી આપતા ડારી ગામના ખેતમજૂરે પારણા કર્યા હતાં જેમાં પ્રવિણ આમહેડા, ગીરીશભાઇ ભજગોતર, બચુભાઈ રાઠોડ, ભીમાભાઇ આમહેડા, સામતભાઇ ભજગોતર સહિતના આગેવાનોએ ઉપસ્થિત ખેતમજૂરને લીંબુ સરબત પાઇ તેમને પારણા કર્યા હતા
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ