મોતનો ક્યાં અને ક્યારે ભેટો થઈ જાય છે તે કહેવું શક્ય નથી. વેરાવળના રામપરા ગામે કરંટ લાગતા ત્રણના મોત થઈ ગયા છે. રામપરા ગામની સીમમાં આ ઘટના ઘટી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળના રામપરા ગામે વાડીમાં વીજપોલ ઉભો કરતા સમયે ત્રણ વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો. જેમા વીજ કંપનીના એત શ્રમિકને પણ કરંટ લાગ્યો હતો અને કરંટ લાગતા જ વીજ કર્મચારીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. વેરાવળના રામપરા ગામે બનેલી આ કરૂણ ઘટનામાં વાડી માલિકના પરિવારના 2 સભ્યોના પણ મોત નિપજ્યા છે. હાલમાં ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં, દોડી ગયેલી પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે વેરાવળની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી વધું તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર :- મહેદ્ર ટાંક