ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આજે સનરાઇઝ હૈદરાબાદ દિલ્હી ડેરડેવિલ્સની સામે રમાનાર છે. સનરાઇઝની ટીમ વર્તમાન આઇપીએલમાં સૌથી શક્તિશાળી ટીમ તરીકે ઉભરીને આવી છે. તેના બોલરોનો દેખાવ ધરખમ રહ્યો છે. ખાસ કરીને છેલ્લી ઓવરમાં ભુવનેશ્વર કુમાર, રશિદ ખાન અને પૌલની બોલિંગ જોરદાર રહી છે. તેમની મેચોને જોતા હવે તેના પર દાવ તમામ ચાહકો વધારે રમી રહ્યા છે. આ મેચમાં જીત મેળવી સનરાઇઝ તેની આગેકુચને જાળવી રાખવા માટે સજ્જ છે. બીજી બાજુ દિલ્હી પાસેથી પણ પડકારરૂપ દેખાવ કરવાની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. દિલ્હીમાં ઘરઆંગણે સનરાઇઝ પર સારો દેખાવ કરવા માટે સજ્જ છે. સનરાઇઝે હજુ સુધી આઇપીએલમાં ૧૦ મેચો રમી છે જે પૈકી ૮ મેચોમાં જીત મેળવી છે અને બે મેચોમાં તેની હાર થઇ છે. તેના ૧૬ પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમ આગામી રાઉન્ડમાં સરળતાથી પહોંચી ચુકી છે. તે વધુ શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝમાં અનેક સ્ટાર ખેલાડી છે જેમાં યુસુફ પઠાણ, હેલ્સનો સમાવેશ થાય છે. દિલ્હીમાં બોલ્ટ, મેક્સવેલ, કેપ્ટન અય્યરનો સમાવેશ થાય છે. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવ ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. જે પૈકી ૪૦ મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.