Aapnu Gujarat
ગુજરાત

તા. ૨૫ મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની તા.૨૫ મી માર્ચ, ૨૦૧૮ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધારી રહ્યાં છે. તદ્અનુસાર, કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની તા. ૨૫ મીએ સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાનઅંગે ચર્ચા-વિચારણા કરી સમીક્ષા કરશે. ત્યારબાદ કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીની અધ્યક્ષતામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે બપોરે 3=૦૦ કલાકે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડીયા બાય-૨૦૨૨ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ – નર્મદા માટેની યોજનાઓના અમલીકરણ અંગે સેમિનાર યોજાશે. આ સંમેલનમાં ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાનનું મંત્રીશ્રી લોચીંગ કરશે. તેની સાથે HTC હેન્ડબુક અને ગુજરાતી-દેહવાલી, આંબુડી શબ્દકોશનું પણ વિમોચન કરશે.જિલ્લાના સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ્સના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, આંગણવાડી વર્કર્સ, આશાબહેનો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો-આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.

Related posts

गोधरा कांड में मोदी को क्लीन चिट

aapnugujarat

રાજ્ય સરકાર તાંત્રિક વિધિમાં માનતી જ નથી : પ્રદિપ જાડેજા

aapnugujarat

अहमदाबाद और गांधीनगर के बीच सितम्बर अंत तक मेट्रो ट्रायल शुरू करना असंभव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1