Aapnu Gujarat
મનોરંજન

શાહિદ કપુર શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ઉત્સુકતા વધી

સંજયલીલા ભણશાળીની લોકપ્રિય અને ભારે ચર્ચા જગાવનાર ફિલ્મ પદ્માવતની સફળતા બાદ હવે શાહિદ કપુર ખુબ ખુશ દેખાઇ રહ્યો છે. તે નવી ફિલ્મમાં કામને લઇને વ્યસ્ત થઇ ગયો છે. શાહિદ કપુર હવે નવી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જોડી અગાઉ પણ સાથે કામ કરી ચુકી છે. બન્નેની જોડી ફરી જાદુ જગાવવા માટે તૈયાર છે. ઉત્તરાખંડના તહેરી ખાતે બન્ને શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં મંદિર અને ગ્લેસિયરની આસપાસ કરવામાં આવી રહ્યુ છે. તહેરી લેક ખાતે પણ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ઓલ્ડ વર્લ્ડ માર્કેટમાં પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવ્યુ છે. તહેરી વિસ્તારમાં શાહિદ અને શ્રદ્ધા કપુરને સ્થાનિક લોકો તરફથી ખુબ સહકાર મળી રહ્યો છે. શ્રી નારાયણસિંહના નિર્દેશન હેઠળ આ ફિલ્મ બની રહી છે. ફિલ્મ વિજળીની અછતના સામાજિક મુદ્દા પર આધારિત છે. ઇલેક્ટ્રીસિટી બિલમાં કઇ રીતે કમી આવી શકે અને અન્ય કેટલાક પાસામાં તેમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શાહિદ કપુર પદ્માવત ફિલ્મમા રાણા રતનસિંહના રોલમાં જોરદાર રીતે રોયલ દેખાયા બાદ હવે તે નવી ફિલ્મમાં નવા અવતારમાં કામ કરવા જઇ રહ્યો છે. શ્રદ્ધા કપુર પણ કેટલીક ફિલ્મ ધરાવે છે. જેમાં સાયના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં બેડમિન્ટન ખેલાડીની ભૂમિકા અદા કરી રહી છે. શાહિદ કપુર પરિવારમાં પણ પુરતો ધ્યાન આપી રહ્યો છે. તેની નાની પુત્રી હવે નર્સરીમાં સ્કુલ જવા લાગી છે. તેની જવાબદારી સતત વધી રહી છે. શ્રદ્ધા કપુર ફિલ્મ આંશિકી-૨ ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર તરીકે ઉભરી આવી હતી. ત્યારબાદ તે કેટલીક મોટી ફિલ્મ કરી ચુકી છે.

Related posts

આલિયાની ગોદભરાઈ માટે સ્પેશિયલ પાર્ટીની શરૂ થઇ તૈયારીઓ

aapnugujarat

મરતે દમ તક એક્ટિંગ કરવા ઇચ્છું છું : કરીના કપૂર

aapnugujarat

ફિલ્મ ચાલબાજની રીમેકમાં કામ કરવા આલિયા સહમત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1