વડાપ્રધાન મોદીએ હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોના ભાજપના સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે જીએસટીની બેનિફિટ ચેન યથાવત રહેવો જોઈએ.ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ તબક્કે પીએમ મોદીએ નાના બિઝનેસમેન અને ટ્રેડર્સને પણ કહ્યું કે તેઓ હાલમાં જ લાગુ કરવામાં આવેલા જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે કેમકે સંસદ સભ્યો નવા કાયદાઓને લઈને નાના વ્યવસાયિક ઉદ્યમોની વચ્ચે ઘણો જ જોશ ઊભો કર્યો હતો.મોદીએ કહ્યું કે,જીએસટીને મંજૂર કરવામાં આવ્યું છે અને પૂરા દેશમાં તેને ઘણું જ સમર્થન મળી રહ્યું છે. નાના ટ્રેડર્સને પણ નવા ટેક્સ કાયાદ અંતર્ગત રજીસ્ટ્રાર કરાવવું જોઈએ. એ નક્કી કરવું જોઈએ કે જીએસટીની બેનિફિટ ચેન યથાવત રહે.મોદીની સાથે બેઠકમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરના ભાજપના સાંસદ સામેલ હતા.
‘વરિષ્ઠ નાગરિકોને સ્કીમ્સનો ફાયદો વધુ મળે’મોદીએ સાંસદોને કહ્યું કે તેઓ તે વાત નક્કી કરે કે સીનિયર સિટીજન્સને કલ્યાણકારી યોજનાઓ અને નવી પેન્શ સ્કીમ ‘ પ્રધાનમંત્રી વાયા વંદના યોજનાનો વધુમાં વધુ ફાયદો મળે. નવી પેન્શન સ્કીમ અંતર્ગત સિનીયર સિટીજન્સને તેના ડિપોઝિટ પર ૮% ઈન્ટરેસ્ટ મળશે.આ તબક્કે મોદીએ પહાડી રાજ્યોના વિકાસ અંગે પણ વાત કરી. તેઓએ જણાવ્યું કે આ રાજ્યોમાં સરકારે અનેક નવી સ્કીમ્સનો અમલ કર્યો, જેનાથી લોકોના જીવનમાં ગુણાત્મક બદલાવ આવ્યો છે. પરિણામ સ્વરૂપે આ રાજ્યોમાં નોકરીઓની છત ઊભી થઈ અને ટૂરિઝમનો પણ વિકાસ થયો.પુડ્ડુચેરી અને ચંદીગઢમાં પીડીએસને બંધ કરવાના મુદ્દે મોદીએ કહ્યું કે, હવે પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં આવશે, આ મોડલને અન્ય રાજ્યોમાં પણ અપનાવી શકાય છે.સંસદના હાલના સત્ર દરમિયાન પોતાના સરકારી આવાસ પર મોદીની ભાજપના સાંસદો સાથે આ છઠ્ઠી બેઠક હતી. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે ઓર્ગેનાઇઝ કરી હતી.