વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને કુલ ૯૧.૩૭ કરોડનું દાન મળ્યું હતું જેમાં શિવસેના પ્રથમ અને આપ બીજા સ્થાને રહયું છે. ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને ૬૩૯ દાનમાં કુલ ૯૧.૩૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં ૨૦,૦૦૦ થી ઓછું અને તેથી વધુ સામેલ છે. શિવસેનાને ૨૯૭ દિવસોમાં ૨૫-૬૫ કરોડ, આપને ૩૮૬૫ દાનમાં ૨૪-૭૩ કરોડ અકાલીદળને ૧૫-૪૫ કરોડ મળ્યા હતાં. આ રીપોર્ટ પક્ષો દ્વારા ચૂંટણી પંચને અપાયેલી વિગતો પર આધારિત છે. જેમાં ૭૨.૦૫ ટકા દાન (રૂ. ૬૫.૮૩ કરોડ) શિવસેના, આપ અકાલીદળને મળ્યું છે. ૨૦૧૫-૧૬ની તુલનાએ ૨૦૧૬-૧૭માં વૃદ્ધિની વાત કરીએ તો અસમ ગણ પરિષદને દાનમાં ૭૧૮૩ ટકા, અકાલીદળને ૫૮૪૨ ટકા, જેડીએસને મળતા દાનમાં ૫૯૬ ટકાનો વધારો મળ્યો છે.
આગળની પોસ્ટ