રાજ્યનાં પાટનગર ગાંધીનગર નજીક બોરીજ ખાતે આવેલ ‘વિશ્વ મૈત્રી ધામ’ જૈન તીર્થમાં મહાવીર જ્યંતિ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ખૂબજ આનંદ – ઉત્સાહથી શ્રી મહાવીર જન્મનો ઉત્સવ ઉજવ્યો હતો. મુંબઈ સ્થિત શ્રીમતી ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર દ્વારા નિર્મિત આ ભવ્ય તીર્થ સ્થાનમાં સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે પ્રભુ શ્રી મહાવીરનો જન્મોત્સવ ઉલ્લાસપૂર્વક મનાવાયો ત્યારે પ્રભુ શ્રી મહાવીરની અત્યંત મનોહર આંગી સજાવવામાં આવી હતી. આ સુંદર આંગીના દર્શન કરીને ભક્તો ખૂબ ભાવવિભોર બની ગયા હતાં.
(તસવીર – અહેવાલ :- હિતેશ ગજ્જર, ગાંધીનગર)