ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન થોડોક દિવસ પૂર્વે અવસાન થયું હતુ. હાર્દિક પટેલ ડભોઇ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ નાવ મારફતે ત્રિવેણી સંગમ ખાતે પહોંચીને હાર્દિક પટેલે પોતાના સ્વર્ગસ્થ પિતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને ભરતભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.તેમના પિતા ભરતભાઈ પોતાના દીકરા હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહી તેના માગૅદશૅક બન્યા હતા. હાર્દિકના કપરા સમયમાં પણ તેઓ સતત સાથ આપતા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું હતું. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.
આગળની પોસ્ટ