Aapnu Gujarat
Uncategorized

બોટાદ જિલ્લા માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે બોટાદ ખાતે સબયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ નવી બનાવેલી ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ સી.આર.પાટીલ બોટાદની મુલાકાતે આવેલ હતા અને તેઓના હસ્તે બોટાદ ખાતે સબ માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવી તેમજ નવી બનાવેલી ઓફિસ તથા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સરકારશ્રીની જે કંઈપણ ખેડૂતલક્ષી યોજનાઓ હોય તે તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આ માર્કેટિંગ યાર્ડ થતા ખેડૂતોની આવક વધશે તેવું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તથા સંસદ સભ્ય ભારતીબેન શિયાળ તથા ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તથા ચંદ્રકાંત સાવલિયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ અમોહ શાહ, બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ખેડૂતો હાજર રહ્યા.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ઉમેશ ગોરહવા, બોટાદ)

Related posts

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor

ગીરની દલખાણિયા રેન્જમાં બે સિંહણના મોત

aapnugujarat

ड्रग मामले में कन्नड़ अभिनेत्री संजना गुलरानी के घर पर पुलिस का छापा

editor

Leave a Comment

UA-96247877-1