Aapnu Gujarat
Uncategorized

સિદ્ધપુર-પાટણમાં બની રહેલાં શિવધામ માટે પ્રદીપ બારોટે સોમનાથ મંદિરેથી અખંડ જ્યોત લઈ પગપાળા પ્રસ્થાન કર્યું

સિદ્ધપુર-પાટણના કુણધેર ગામમાં સાત વીઘા જમીનમાં શિવધામ બની રહ્યું છે જેમાં શિવજીની તપસ્યા મુદ્રામાં વિશાળ પ્રતિમા તૈયાર થઈ રહી છે તો સાથે સાથે દ્વાદશ જ્યોતિલિંગ શિવ પરિવારનો પણ સમાવેશ આ તીર્થમાં કરવામાં આવ્યો છે. ભગવાન સોમનાથની અખંડ જ્યોતના દર્શન થાય તેવો સંકલ્પ પ્રદીપ બારોટે કર્યો હતો.

અખંડ જ્યોત માટે સંકલ્પ-પૂજા કરી જ્યોત પ્રજવલિત કરી પ્રદીપ બારોટે પગપાળ પ્રસ્થાન કર્યું છે. પ્રદીપભાઈ દરરોજ ૨૫ થી ૩૦ કિલોમીટર ચાલી આ અખંડ જ્યોતને સિદ્ધપુર-પાટણ ૨૦ થી ૩૦ દિવસની યાત્રા ખેડી શિવધામે પહોંચાડશે.

રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

હિરણ નદીનો ધોધ રમણીય બન્યો

aapnugujarat

રાજકોટ જિલ્લામાં આવેલ ઓસમ ડુંગરની આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ

editor

રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા ૧૦ની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1