Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જેડીયૂમાં સામેલ કર્યા’ : નીતીશે ખોલ્યું રહસ્ય

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અંતે તે રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો છે, જે સવાલ બનીને લોકોના મનમાં છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહ્યો હતો. સવાલ હતો કે નીતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયૂમાં કોના કહેવા પ સામેલ કર્યા? મુખ્યમંત્રી નીતીશ કુમારે તેનો જવાબ આપ્યો.
નીતીશ કુમારે જણાવ્યું કે તેમને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને જેડી(યૂ)માં સામેલ કરવા માટે બે વાર ભલામણ કરી હતી. નીતીશ કુમારે એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે સંકળાયેલા સવાલ પર આ વાત કહી.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જેડી(યૂ)માં સામેલ કરવામાં આવ્યા હતા અને થોડાક જ સપ્તાહ બાદ તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. તેનાથી એવી અટકળો થઈ રહી હતી કે નીતીશ કુમાર તેમને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવવા વિશે વિચારી રહ્યા છે.
નીતીશ કુમારે કહ્યું કે, તેઓ અમારા માટે નવા નથી. તેઓએ અમારી સાથે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં કામ કર્યું હતું. થોડા સમય માટે તેઓ બીજે ક્યાંક વ્યસ્ત હતા. મહેરબાની મને કહેવા દો કે અમિત શાહે મને બે વાર કિશોરને જેડી(યૂ)માં સામેલ કરવા માટે કહ્યું હતું.
તેઓએ કહ્યું કે, પ્રશાંત કિશોરને સમાજના તમામ ભાગમાંથી યુવા પ્રતિભાઓને રાજકારણ તરફ આકર્ષિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાજકીય પરિવારોમાં ન જન્મેલા લોકોની રાજકારણથી પહોંચ દૂર થઈ ગઈ છે.કુમારે કહ્યું કે, મને પ્રશાંત કિશોર સાથે ઘણો લગાવ છે. પરંતુ ઉત્તરાધિકારી જેવી વાતો આપણે ન કરવી જોઈએ. આ રાજાશાહી નથી.

Related posts

સરકારી હેલ્પલાઇન નંબર પોર્ન સર્ચમાં ઓનલાઇન પોસ્ટ થઈ ગયો

aapnugujarat

મહારાષ્ટ્ર કેબિનેટે બાલ ઠાકરે સ્મારક માટે ૧૦૦ કરોડ ફાળવ્યા

aapnugujarat

PM interacts with beneficiaries of various health care schemes across the country through video bridge

aapnugujarat

Leave a Comment

UA-96247877-1