Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબુલમાં આતંકવાદી હુમલામાં ૨૯ લોકોના મોત

કાબુલના સરકારી પરિસરમાં થયેલ એક આતંકવાદીઓ હુમલામાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત નિપજ્યા છે. આ આતંકીઓ દ્વારા કરવામાં આવેલ એક આત્મઘાતી અને બંદૂકધારી હુમલો હતો. ગૃહમંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે લગભગ એક કલાક સુધી ચાલેલા આ હુમલામાં ૨૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો સ્થાનીક નાગરીકો હતા. હજી સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. જ્યાં હુમલો થયો હતો ત્યાં લોક નિર્માણ મંત્રાલય અને અન્ય સરકારી વિભાગોના કાર્યાલયો છે. અફઘાન પોલીસે ગોળીબારી કરનાર ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા છે. ઘટના સ્થળે હાજર પોલીસો ૩૫૦થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ગૃહમંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે, ચોથો હુમલાખોર કાર બોમ્બ ધમકામાં માર્યો ગયો છે.

Related posts

अमेरिकी अदालत ने ट्रंप पर लगाया 20 लाख डॉलर का जुर्माना

aapnugujarat

टेरर फंडिंग मामला : गिरफ्तारी पर बोले हाफिज – लश्कर से नहीं कोई संबंध

aapnugujarat

भारत चाहे तो मैं कश्मीर मसले पर मध्यस्थता करने को तैयार : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1