Aapnu Gujarat
મનોરંજન

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ વર્ષનાં અંત સુધી શરૂ કરાશે

બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ હવે હનીમુનના ગાળા બાદ પોતાના બાકીના પ્રોજેક્ટ પર કામ શરૂ કરનાર છે. તેની પાસે એતરાજ-૨ ફિલ્મ રહેલી છે. જેનુ શુટિંગ હવે તે કામ પર પરત ફર્યા બાદ નવા વર્ષમાં હાથ ધરવામાં આવનાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ પસંદગી કરવામાં આવી શકે છે. પ્રિયંકા હાલના દિવસોમાં તેની પાસે આવેલી જુદી જુદી ફિલ્મોની પટકથા વાંચી રહી છે. સુભાષ ઘાઇએ પ્રિયંકાના લગ્ન પહેલા આ ફિલ્મના સંબંધમાં વાતચીત કરી હતી. આ વાતચીત સફળ સાબિત થઇ હતી. હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સુભાષ ઘાઇએ નિર્માતા તરીકે વર્ષ ૨૦૦૪માં એતરાજ ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રિયંકા ચોપડા, કરીના કપુર અને અક્ષય કુમારની ભૂમિકા હતી. સુભાષ ઘાઇ લાંબા સમયથી આ સિક્વલ પર કામ કરી રહ્યા હતા. ગયા મહિનામાં જ સુભાષ ઘાઇએ સિક્વલ માટેની પટકથાને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે. સ્ટારકાસ્ટને નક્કી કરવામાં ઘાઇ વ્યસ્ત છે. ફિલ્મનુ નામ નવુ અને પટકથા પણ નવી રહેશે.
લોકપ્રિય સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે વાતચીત થઇ ચુકી છે.લોકપ્રિય પ્રિયંકા ચોપડા પોતે ખુબ ઉત્સાહિત છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે તરત તૈયાર પણ થઇ ગઇ છે. પ્રિયંકા ફિલ્મ માટે તારીખ કાઢવાના પ્રયાસમાં લાગેલી છે. સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે કુલ ત્રણ મિટિંગ થઇ ચુકી છે. ત્રીજી અને અંતિમ મુલાકાત અમેરિકી શો ક્વાન્ટિકો સિઝન-૩ની પુર્ણાહુતિ બાદ થઇ હતી. એતરાજમાં પ્રિયંકા નેગેટિવ રોલમાં છવાઇ ગઇ હતી.

Related posts

साइबरबुलिंग नौजवानों के लिए हानिकारक : अनन्या पांडे

aapnugujarat

પદ્માવત ફિલ્મને નિહાળવા કરણી સેના તૈયાર

aapnugujarat

रकुलप्रीत ने रिसीव किया NCB का समन

editor

Leave a Comment

UA-96247877-1