Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર ના બન્યું તો દેશમાં વિદ્રોહ થઈ શકેઃ રામદેવ

યોગગુરુ બાબા રામદેવે રામ મંદિરને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે મંદિર નિર્માણનો માર્ગ કોર્ટમાંથી નહીં નિકળે પરંતુ સંસદ થઈને નિકળશે. સ્વામી રામદેવે જણાવ્યું કે રામ મંદિર નિર્માણનો માર્ગ સંસદમાંથી જ ખુલશે.હરિદ્વારમાં કોર્પોરેશનની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા આવેલા બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખરા રામ ભક્ત ગણાવ્યા હતા. બાબા રામદેવ સાથે તેમના સહયોગી બાલકૃષ્ણ પણ હાજર હતા. બાબાએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે સંસદ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સંસદ અને કોર્ટ જો રામ મંદિર નિર્મામમાં નિષ્ફળ જશે તો દેશમાં વિદ્રોહ થઈ શકે છે.અગાઉ વારાણસીમાં પણ રામદવે જણાવ્યું હતું કે રામ મંદિર નહીં બને તો દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાઈ શકે છે અને સામાજીક વૈમનસ્ય ઊભું થશે. બાબા રામદેવે જણાવ્યું હતું કે રામ મંદિરના મુદ્દે અત્યારે નહીં, તો ક્યારેય નહીં જેવા વલણ સાથે કામ કરવું પડશે.વારાણસીમાં બાબા રામદેવે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે મંદિરનો મુદ્દો સમજૂતિના તબક્કામાંથી નિકળી ગયો છે હવે સંસદમાં કાયદો લાવો અને મંદિરનું નિર્માણ બનાવવાની જોગવાઈ પર કામ કરવું પડશે.

Related posts

ઉત્તર ભારતમાં કોલ્ડવેવથી જનજીવન ખોરવાયું

aapnugujarat

સહારનપુર હિંસા માટે ભાજપ-આરએસએસ જવાબદાર, સીએમ યોગીને કરીશું ફરિયાદ : માયાવતી

aapnugujarat

નારદા લાંચ કેસ : સીબીઆઇએ મમતાને હાઇકોર્ટમાં પક્ષકાર બનાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1