Aapnu Gujarat
મનોરંજન

બહેનોના લગ્ન પછી અભિનેતા અર્જુન લગ્ન કરશે !

તેણે કહ્યું છે કે, તે તેની બહેનોની પહેલા લગ્ન નહીં કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્જુનનો ચાર્મ ત્યારથી છે જ્યારથી તેણે હબીબ ફૈઝલની ફિલ્મ ‘ઇશકઝાદે’થી એન્ટ્રી કરી હતી. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો સારો બિઝનેસ કરી રહી છે અને તેના કેરીયરનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે. સોનમ કપૂરના લગ્ન પછી લોકોએ અર્જુનના લગ્ન વિશેના સવાલો પૂછવાના શરૂ કર્યા હતા.
કેટલાક રિપોટ્‌ર્સ પ્રમાણે અર્જુનને જ્યારે તેના લગ્ન વિશે પુછાયું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું ત્યારે લગ્ન ત્યારે કરીશ જ્યારે રિયા અને અંશુલાના લગ્ન થઇ જાય.’ નોંધનીય છે કે રિયા અર્જુનની કઝિન છે. અર્જુને કહ્યું હતું કે, ‘આમાં બે, ચાર કે છ વર્ષ પણ લાગી શકે છે. મને ખબર નથી.’ તો અર્જુનના ફેન્સ માટે તેણે એ તો કહી દીધું છે કે કમસે કમ અત્યારે તો તેનો લગ્ન કરવાનો કોઇ ઇરાદો નથી.
અર્જુને તેના કાકા અનિલ કપૂર વિશે પણ વાત કરી હતી. ર્જુને કહ્યું હતું કે, ‘અનિલ અંકલ તો સાતમા આસમાને છે. કેમ કે લોકો તેમને કહેતા રહે છે કે તમે પિતા જેવા લાગતા જ નથી. એવું લાગે છે કે જામે તમારી બહેનના લગ્ન થોડા સમય પહેલા થયા છે.’ અર્જુનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે થોડા જ સમયમાં જ ફિલ્મ નમસ્તે લંડન, સંદીપ અને પિંકી ફરાર જેવી ફિલ્મોમાં દેખાશે. તો તેણે ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

Related posts

हाउसफुल-४ का एक और गाना रीलिज हुआ

aapnugujarat

સલમાન સાથે મારો ભાઈ જેવો સંબંધ છે : શાહરૂખ

aapnugujarat

ઉરી ફિલ્મની બોક્સ ઓફિસ પર સફળતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1