Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા મેમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૧૮૦૦૦ કરોડ રૂપિયા અથવા તો ૨.૬૫ અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલી દિનપ્રતિદિન વધી રહી છે જેથી ક્રૂડની કિંમતો ઉપર આની અસર થઇ રહી છે. એપ્રિલ મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૧૮મી મે દરમિયાનના ગાળામાં ઇક્વિટીમાંથી ૪૮૩૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૯૪૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.આની સાથે જ કુલ આંકડો ૧૭૭૭૧ કરોડ રૂપિયા અથવા તો ૨.૬૫ અબજ ડોલરનો રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે. અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલી તથા અમેરિકા-ઇરાન વચ્ચે ક્રૂડને લઇને મતભેદની બજાર ઉપર અસર થઇ છે. સ્થાનિક શેરબજારમાં સરકારી યિલ્ડમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ભારતીય ડેબ્ટ માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.
ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. બીજી બાજુ મૂડીરોકાણકારો એફપીઆઈનું વલણ કેવું રહે છે તે બાબત ઉપર પણ ધ્યાન રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા અને વધતી ક્રૂડની કિંમતોની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડની વધતી કિંમતોના લીધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર થઇ રહી છે.

Related posts

૨,૯૯૯માં જિયો ફોન-૨ લોંચ

aapnugujarat

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર

aapnugujarat

MEA seeks clarification from telecom secy Aruna Sundararajan over DoT’s stand on Huawei

aapnugujarat

Leave a Comment

UA-96247877-1