Aapnu Gujarat
શિક્ષણ

આઇસીએઆઇ અમદાવાદ બ્રાંચ રચનાત્મક કાર્યો કરશે

ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના વર્ષ ૨૦૧૮-૧૯ માટે નવા હોદ્દેદારો ચૂંટાઇ આવ્યા છે. જેમાં ચેરમેન તરીકે સીએ નીરવ ચોક્સી, વાઇસ ચેરમેન તરીકે સીએ ગણેશ નાદર, સેક્રેટરી તરીકે ફેનીલ શાહ અને ટ્રેઝરર તરીકે બિશન શાહ ચૂંટાઇ આવ્યા છે. અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ નીરવ ચોક્સીએ નવો હોદ્દો ગ્રહણ કર્યા બાદ આશાવાદ વ્યકત કર્યો હતો કે, આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચ દ્વારા આ વર્ષે સીએ મેમ્બર્સના નોલેજ અપગ્રેડેશન, સ્ટુડન્ટ્‌સને પ્રોફેશનલ તકો પૂરી પાડવા સહિતની પ્રવૃત્તિઓની સાથે સાથે સંસ્થા સામાજિક દ્રષ્ટિકોણથી કંઇક અલગ જ રચનાત્મક કાર્યો કરશે. જેમાં જરૂરિયાતંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાયથી લઇ સામાજિક સેવાનો સમાવેશ થાય છે.
નવા ચેરમેન સીએ નીરવ ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે, સને ૧૯૬૨માં સ્થપાયેલી અમદાવાદ બ્રાંચ આઇસીએઆઇની ભારતમાં ૯૫૦૦થી વધુ સભ્યો સાથેની બીજા નંબરની સૌથી મોટી બ્રાંચ છે. તેમણે એક વર્ષ સુધી તેમના કાર્યકાળ દરમ્યાન સીએ ફેકલ્ટી અને ફિલ્ડ માટે વિશેષ વીઝન ડોકયુમેન્ટ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. જેમાં સીએ મેમ્બર્સને બદલાતા કાયદા અને ફેરફારોનું નોલેજ અપગ્રેડેશન, ફ્રેશ સીએને પ્રોફેશનલ તક પૂરી પાડવા, વિદ્યાર્થીઓ માટે કેરીએર ઓરિએન્ટેડ માર્ગદર્શન અને તાલીમ, આર્ટિકલશીપ ટ્રેનીંગ, મેમ્બર્સ માટેની નેશનલ કોન્ફરન્સ અને આવી જ સ્ટુડન્ટ્‌સ માટેની પણ કોન્ફરન્સ સહિતના આયોજનો હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે અમદાવાદ સામાજિક સેવા અને સમાજને કંઇ વળતુ પરત કરવાના ઉમદા આશયથી અલગ પ્રકારના રચનાત્મક કાર્યો પણ કરશે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ વારંવાર ફેલ થવા છતાં સીએ કલીયર નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપી નિષ્ણાત એકાઉન્ટન્ટ બનાવી તેમને રોજગાર અપાવવાનું અનોખુ અભિયાન પણ હાથ ધરાશે.
તેમણે સભ્યો અને વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ સિધ્ધ કરવાની લાગણી વ્યકત કરી હતી. સાથે સાથે મેનેજીંગ કમીટીના સભ્યો અને સાથીઓ પ્રત્યે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે બ્રાંચના ચેરમેન તરીકે તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સીએ નીરવ ચોક્સીએ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

Related posts

નવરાત્રિ વેકેશન : CBSE સ્કુલોમાં અસમંજસની સ્થિતિ

aapnugujarat

વાર્ષિકોત્સવમાં મેવાણીને આમંત્રણથી વિવાદ : કોલેજ આચાર્ય હેમંત કુમાર શાહ, ઉપાચાર્યના રાજીનામા

aapnugujarat

कक्षा-१२ साइंस की पूरक परीक्षा में अहमदाबाद के सिर्फ २३४ विद्यार्थी पास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1