Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંસા કરી રહેલા ડેરા સમર્થકોની પીઠમાં મારવામાં આવી હતી ગોળીઓ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

૨૫ ઓગસ્ટે હરિયાણામાં થયેલી હિંસામાં ૩૮ લોકોના મોત થયા હતા ત્યારે મૃતકોના પોસ્ટ મોર્ટમમાં નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતદેહના શવમાંથી ઈંસાસ અને એસએલ.આર રાયફલથી ચાલેલી બુલેટ નીકળી છે.
આ ગોળીઓ પીઠ, માથાના ભાગે અને હ્‌દય પર મારવામાં આવી હતી.
પંચકૂલા સિવિલ હોસ્પિટલમાંથી મળેલી બુલેટને ફોરેન્સિક તપાસ માટે મધુબન લેબોરેટરી મોકલવામાં આવશે. ઈંસાસ રાઈફલનો ઉપયોગ અર્ધસૈનિક દળ અને એસએલઆર હરિયાણા પોલીસ ઉપયોગ કરે છે.
ખાનગી અખબારના મતે હિંસામાં માર્યા ગયેલા ૨૦ લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.જેમાં ૬ મૃતદેહો એવા હતા જેમની પીઠ પર ગોળી મારવામાં આવી. જેથી એવો અંદાજો લગાવવામાં આવે છે કે, ભાગતા સમયે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હોય. આ હિંસામાં ૩૮ ડેરા સમર્થકોના મોત થયા હતા ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Related posts

Maharashtra NCP chief Sachin Ahir joins Shiv Sena

aapnugujarat

નફરત ફેલાવવા રાહુલ પર અમિત શાહનો આક્ષેપ

aapnugujarat

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1