Aapnu Gujarat
મનોરંજન

અદિતી ‘પદ્માવતી’ ફિલ્મમાં રણવીરની પત્નીનાં રોલમાં દેખાશે

છેલ્લા કેટલાક દિવસોથી સંજય લીલાની નવી ફિલ્મ પદ્માવતિને લઇને ચર્ચા છે. પોતાની છેલ્લી ફિલ્મ બાજીરાવ મસ્તાનીની રેકોર્ડ સફળતા બાદ હવે સંજય લીલા પદ્માવતિ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ટાઇટલ રોલમાં દિપિકા નજરે પડાનાર છે. જ્યારે રણવીર સિંહની પત્નિ તરીકે ફિલ્મમાં હવે અદિતી રાવ મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. સંજય લીલા ફરી એકવાર ઇતિહાસને ધ્યાનમા લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં રણવીરસિંહ અદા કરી રહ્યો છે. દિપિકા પદ્માવતિની ભૂમિકામાં છે. જ્યારે શાહિદ કપુર ચિત્તોડગઢના મહારાજા રાવલ રતનસિંહની ભૂમિકામાં છે. રામલીલા અને બાજીરાવ મસ્તાની બાદ સતત ત્રીજી ફિલ્મ બની રહી છે જેમાં રણવીર અને દિપિકાની જોડી ચમકી રહી છે. જો કે થોડાક દિવસ પહેલા ફિલ્મને લઇને એવી ચર્ચા આવી હતી કે કેટલીક દુવિધા રહેલી છે. દિપિકાએ ફિલ્મ માટે ફીમાં વધારો કરી દીધો છે. જો કે આ અફવાને અંતે રદિયો આપી દેવામાં આવ્યો હતો. રણવીર અને શાહિદ કપુર વચ્ચે ખેંચતાણને લઇને પણ હેવાલ આવ્યા હતા. હવે નવા સમાચાર એ છે કે સંજય લીલાની ફિલ્મમાં અદિતી રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા હતી કે અલાઉદ્દીનની પત્નિની ભૂમિકા ફિલ્મમાં કોણ અદા કરશે. હવે જાણવા મળ્યુ છે કે અદિતી અલાઉદ્દીનની સૌથી પ્યારી પત્નિ કમલાદેવીની ભૂમિકા અદા કરનાર છે. આ રોલને લઇને સંજય લીલા અને અદિતી વચ્ચે કેટલાક રાઉન્ડની ચર્ચા થઇ હતી. સંજય લીલાની નજર ચાર અભિનેત્રી પર કેન્દ્રિત હતી. અંતમાં અદિતી રાવની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મના કલાકારો હવે ખુશ છે. કારણ કે શુટિંગ પૂર્ણાહુતિના આરે પહોંચી ગયુ છે.

Related posts

રાહુલ બોસને જીવથી મારી નાંખવાનો હતો: અનિલ કપૂર

editor

પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ કોર્ટે શર્લિન ચોપડાની જામીન અરજી ફગાવી

editor

‘डॉन’ में होना अविश्वसनीय था : कुणाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1