Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં દુષ્કર્મ પીડિતાએ બાળકીને જન્મ આપી દફનાવી દીધી

ગુજરાતમાં અત્યારે ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરના પાણશીણા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં એક દુષ્કર્મ પીડિતા બાળકી અને તેની માતા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે દુષ્કર્મ બાદ 17 વર્ષીય સગીરાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જેને તેની માતા સાથે મળીને જમીનમાં દફન કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી મોટો ઘટસ્ફોટ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ સ્ટેશન દ્વારા એક સગીર દુષ્કર્મ પીડિતા અને તેની માતા વિરુદ્ધ એક શિશુને ગુપ્ત રીતે દફનાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતદેહને બહાર કાઢીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

સગીર બાળકીની દુષ્કર્મની ફરિયાદની તપાસ કરી રહેલા સાણંદના નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસની ફરિયાદને પગલે પાનશીણા પોલીસે 4 એપ્રિલે IPC કલમ 318 અને 114 હેઠળ FIR નોંધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કાઠેચી ગામમાં 23 માર્ચની રાત્રે 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો અને નવજાત બાળકીને 24 માર્ચની રાત્રે દફનાવવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં 29 માર્ચે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી કારણ કે ત્યાં ગુનો બન્યો હતો.

વ્યાસે જણાવ્યું હતું કે, “બળાત્કાર પીડિતાએ 29 માર્ચે તેની ફરિયાદમાં અમને કહ્યું હતું કે તે બળજબરીથી શારિરીક સંબંધના કારણે ગર્ભવતી થઈ હતી. આ દરમિયાન તેનો કસુવાવડ થઈ હતી. જોકે, તેની તબીબી તપાસ બાદ ડોકટરોએ ટાંકા શોધી કાઢ્યા હતા અને શંકા વ્યક્ત કરી હતી કે બાળકીએ બાળકને જન્મ આપ્યો છે.

જ્યારે અમે પૂછપરછ કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તેને 23 માર્ચે પ્રસૂતિની પીડા હતી અને તેને કુમારખાન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સગીરાએ લગભગ 1 વાગ્યે એક છોકરીને જન્મ આપ્યો હતો. આગલી રાત્રે, બાળકીને ગામની સરહદ પાસે દફનાવવામાં આવી હતી.

પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

“ ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ફરિયાદીએ બાળકને જન્મ આપવાની હકીકત છુપાવી હતી. જે સ્પષ્ટપણે સૂચવે છે કે બાળકના જન્મની વાત છુપાવવા માટે તેનો ઈરાદો હતો. પોલીસે વધુમાં કહ્યું કે જો પોસ્ટમોર્ટમમાં બાળકીનું કુદરતી મોત નહીં હોય તો હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી કરાશે.

Related posts

દાહોદમાં ભાજપના કાર્યકરોએ મોદીના નામનું હેરકટિંગ ચિતરાવ્યુ, તસવીર વાયરલ થઇ

aapnugujarat

કોંગ્રેસનો ભસ્મીભૂત થવાનો સમય આવી ગયો છેઃ મનોજ જોશી

aapnugujarat

દલિત-રબારી મારામારી કેસમાં રબારી સમાજના ૮ આરોપીની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1