Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝાકીર નાઈકે પણ નુપુર જેવું નિવેદન આપ્યું હતું, તેમની પાસે માફીની માંગ કેમ નહીં : રાજ ઠાકરે

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના વિવાદિત નિવેદન પર દેશભરમાં ચર્ચા છેડાઈ હતી.
ઘણાએ નિવેદનનો વિરોધ તો ઘણાએ તરફેણ કરી હતી. હવે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ નુપુર શર્માની તરફેણ કરી છે.
કાર્યકરોની બેઠકને સંબોધન કરતા રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, જ્યારથી નુપુર શર્માએ નિવેદન આપ્યુ છે ત્યારથી દેશમાં તેના પર રાજકારણ ચાલી રહ્યુ છે. નુપુરનુ સમર્થન કોઈ કરી રહ્યુ નથી પણ નુપુરે જેવી વાત કરી હતી તેવી જ વાત ઝાકીર નાઈકે પણ કરી હતી. આમ છતા કોઈ તેની માફીની માંગ નથી કરી રહ્યુ?તેમણે આગળ કહ્યુ હતુ કે, નુપુર પર માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ પણ નાઈકને કોઈએ માફી માંગવા અપીલ કરી હોય તેવુ સાંભળ્યુ નથી. નુપુરે જે વાત કરી હતી તેવી જ ઝાકીર નાઈકે પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરે તબિયત નાદુરસ્ત હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણથી દુર હતા પણ હવે તેઓ સ્વસ્થ થયા છે ત્યારે આજે કાર્યકરોની બેઠકમાં સંબોધન કરવા માટે પહોંચ્યા હતા.

Related posts

મોદી છેલ્લાં ચાર વર્ષમાં દુનિયા ફરી ચુક્યા

aapnugujarat

પ્રવાસી ભારતીય સંમેલન રાજીવ ગાંધીના બહાને કોંગી ઉપર મોદીના પ્રહારો

aapnugujarat

हैदराबाद में भारी बारिश : घर पर पत्थर गिरने से 9 की मौत

editor

Leave a Comment

UA-96247877-1