નર્મદા જિલ્લાના ખેડૂતોએ બાગાયતી પાકો માટેની સહાય માટે ikhedut પોર્ટલ પર અરજી કરેલ છે તેવા ખેડૂતોએ સાધનિક પુરાવા સાથેના કાગળો તા. ૧૯/૦૭/૨૦૧૭ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૧૪-૨૧૬, બીજો માળ, જિલ્લા સેવાસદન, રાજપીપળા ખાતે જમા કરાવવા જણાવવામાં આવે છે. ખેડૂત ખાતેદારે કરેલ અરજીને સમયસર ન જમા કરવામાં આવતા લાભથી વંચિત રહી જશે તો આ બાબતે અત્રેની કચેરીની કોઇ જવાબદારી રહેશે નહી. વહેલા તે પહેલાના ધોરણે અરજીઓને પ્રાથમિકતા આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપળા, ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા પણ જણાવાયું છે.
પાછલી પોસ્ટ