અમદાવાદથી અમારા સંવાદદાતા કીર્તિભાઈ દવે જણાવે છે કે, દર વર્ષની માફક ચાલુ વરસે પણ મહાકાળી માતાજી ના મંદિરે સવારે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. બપોરે માતાજીના મંદિર શિખર ઉપર ધજા અભિજિત મુહતૅમા યજમાન રાજેન્દ્ર કૂમાર નટવરલાલ દવે પરિવાર તરફથી ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા યજમાન ભરતકુમાર દવે તથા રાજેન્દ્ર કુમાર દવે પરિવાર તરફથી કરવામા આવી હતી.
પાછલી પોસ્ટ