કોરોના મહામારીની પરિસ્થિતિમાં સમગ્ર દેશ લોકડાઉનમાં હતો અને લોકડાઉનની પરિસ્થિતિમાં સામાન્ય માણસથી લઈ દરેક વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી જેના કારણે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચાલુ વર્ષની સ્કુલ ફી બાબતે ગુજરાત સરકાર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવ્યો જેમાં ચાલુ વર્ષમાં પહેલા સત્રમાં સ્કૂલ દ્વારા ૨૫ ટકા જેટલી સ્કૂલ ફી માફી કરવી જે નિર્ણયથી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઇવે નં. ૮ પર સ્કુલ નહીં તો ફી નહીં, ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા સાબરકાંઠા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)