Aapnu Gujarat
ગુજરાત

આપત્તિના સમયે વિરમગામ તાલુકામાં દર્દીઓ માટે સરકારી તંત્ર દેવદુત બન્યુ

  • ગોરૈયા ગામના ૩ કેન્સરના દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવીલ હોસ્પિટલ મોકલી સારવાર કરાવવામાં આવી
  • સરકારી તંત્રના સંકલનમાં રહી ગોરૈયા ગામના સરપંચ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: લોકડાઉનના કારણે પબ્લીક ટ્રાન્સપોર્ટ સદંતર બંધ છે જેના કારણે કેટલાક દર્દીઓ પોતાની સારવાર કે દવા લેવા માટે પણ અમદાવાદ જઇ શકતા નથી. આવા આપત્તિના સમયે સરકારી તંત્ર આવા દર્દીઓનું સાથી બનીને મદદરૂપ બન્યુ હતુ. વિરમગામના ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સુરભી ગૌતમના માર્ગદર્શન મુજબ સરકારી તંત્ર દ્વારા દર્દીઓની ઓળખ કરી જરૂરીયાત મુજબની મદદ કરવામાં આવી રહી છે.
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના ગામ ગોરૈયામાં ૩ કેન્સરના દર્દીઓ કે જેમાં ૩૫ વર્ષીય મહિલા- સ્તન કેન્સર અને ૩ વર્ષ, ૧૪ વર્ષની બાળકીઓ કે જેઓને બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હતી અને આ ટ્રીટમેન્ટ ૧૦મી એપ્રિલના પૂર્ણ થઈ ગયેલ હતી. પરંતુ લોકડાઉનના કારણે આ દર્દીઓ પોતાની દવા લેવા માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં જઈ શકે તેમ ન હતા અને દર્દીઓ ખૂબ જ ગરીબ હતા. તેથી તેઓ પોતાનું સાધન કરીને પણ જઈ શકે તેમ ન હતા. તેથી તેઓ ગોરૈયા સરકારી દવાખાનામાં આવ્યા અને મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી પાસે વાત કરી હતી. મેડીકલ ઓફિસર દ્વારા સરપંચ નીલાબેન ડોડીયા સાથે વાત કરી અને સરપંચ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાં આશા બહેન સોનલબેન ઠાકોર સાથે ગયા હતા. જેથી આ ત્રણેય દર્દીઓ અમદાવાદ કેન્સર હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા અને જરૂરી સારવાર મેળવી હતી.

Related posts

ગુજરાત સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે

aapnugujarat

અયોધ્યા કેસની ત્વરિત સુનાવણી માટે કોંગી સંમત છે : શાહનો પ્રશ્ન

aapnugujarat

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1