રાજપીપળા થી વડોદરા તરફ જતો શોર્ટકટ માર્ગ પોઈચા બ્રિજ તરફ જતો હોય ત્યાં ગત રાત્રે લૂંટની ઘટના બનતા વાહનચાલકોએ હવે સચેત રહેવું જરૂરી જણાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી પેપરના મશીનભરી છત્તીસગઢ જતો ટ્રક ચાલક દલબીરસિંહ જશવંતસિંહ પનેસર (ઉ.વ.૬૧, રહે. અમદાવાદ સમ્રાટ નગર ઇસનપુર) ગત રાત્રે અમદાવાદથી નીકળી પોઈચા ચોકડીથી એકાદ કિ.મી. દૂર પહોંચતા જ તેમની પાસેની ટ્રક નં. જીજે૦૧ડીઝેડ ૮૫૯૩માં પંક્ચર પડતા ટ્રક સાઇડમાં ઉભી રાખી નીચે ઉતરી મોબાઇલની લાઇટ વડે ટાયરની તપાસ કરતા હતાં તે વખતે ચાર યુવાનોએ તેમને પકડી લીધા હતાં અને અન્ય બે યુવાનોએ “પૈસા દો નહીં તો માર ખાના પડેગા’ તેમ જણાવી ચાલકે ડરના માર્યા પોતાની પાસેનો મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ આપી દીધી હતી. લૂંટ બાબતે ટ્રક ચાલકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
( અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)
પાછલી પોસ્ટ