Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકાના વડા બનાસ નદીનાં પટમાંથી નીલ ગાયની હત્યાથી સનસનાટી

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં વડા બનાસ નદીની હદમાં એક નીલ ગાયનીગોળી મારી ગળું કાપી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. વડા ગામના શૈલેન્દ્રસિંહ વાઘેલાએ આ અંગે મિડિયા તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરી પોતાની ફરજ બજાવી હતી.
મળતી માહિતી મુજબ વડા પાસે નદીના પટમાં અજાણ્યા ડફેરો દ્વારા નીલ ગાયને ગોળી મારી અને ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. નદીના પટ વિસ્તારમાં ગાયો ચારતા સ્થાનિક લોકોએ નીલ ગાયને મારતાં જોઇ જતા પીછો કરતા ચાર ડફેરો ભાગવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ ડફેરોને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

aapnugujarat

શહેરમાં પરકોલેટિંગ વેલની જાળવણી માટે આકરૂં વલણ

aapnugujarat

राज्य के २६ तहसील में दर्ज हुई है उल्लेखनीय बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1