અમદાવાદનાં પાલડીમાં આવેલા સિગ્મા સ્પર્શમાં રહેતાં સોની ભાવેશકુમાર ચમનલાલ (માંડલિયા) દર વર્ષે તેમના પરિવારના સભ્યો સાથે મા વાધેશ્વરી માતાનો રથ લઈ ભાદરવી પૂનમે અમદાવાદથી માંડલ સ્થિત મા વાધેશ્વરી માતાના મંદિર પગપાળા જાય છે જેમાં પરિવારના ૧૨૫થી પણ વધારે સભ્યો હોય છે. આ પગપાળા સંઘમાં ૭૦ પુરુષો, ૪૫ સ્ત્રીઓ અને બાળકો સાથે કેટરિંગના માણસો સાથે મા વાધેશ્વરી માતાના દર્શને જતાં હોય છે. આ કાર્યક્રમની તૈયારી લગભગ બે મહિનાથી શરૂ કરવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૧ વર્ષથી સોની પરિવાર પગપાળા સંઘ લઈ માતાના દર્શનાર્થે જાય છે.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)