Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નમો ટીવી પર જવાબ આપવા સરકારને ચૂંટણી પંચનો હુકમ

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી નમો ટીવીને લઇને શ્રેણીબદ્ધ ફરિયાદો થયા બાદ ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી જવાબની માંગ કરી છે. બંને પાર્ટીઓ પંચ સમક્ષ આ ચેનલને બંધ કરવા માંગ પણ કરી છે. ચૂંટણી પંચે મંત્રાલયની સાથે સાથે દૂરદર્શનને પણ જવાબ આપવા માટે કહ્યું છે. વડાપ્રધાને ૩૧મી માર્ચના દિવસે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, તેઓ પોતાની રીતે મેં ભી ચોકીદાર અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. લોકો આ કાર્યક્રમને નમો ટીવી ઉપર લાઈવ નિહાળી શકે છે. આ ચેનલ પર મોદીના ભાષણ અને ભાજપ કેન્દ્રિત કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. નમો ટીવીને લઇને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. વિપક્ષે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષોને એક સમાન અધિકાર મળવા જોઇએ. પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી એકાએક નમો ટીવી લોંચ કરવાને લઇને રિપોર્ટની માંગ કરી છે. આચારસંહિતા અમલી કરવામાં આવ્યા બાદ આની શરૂઆત કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજુર કરવામાં આવેલી ચેનલોમાં આનું નામ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.
પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી હોટફેવરીટ બનેલા છે.

Related posts

કાશ્મીરનાં શોપિયન જિલ્લામાં ઓપરેશન ઓલઆઉટ : બે ત્રાસવાદીઓને ઠાર કરાયા

aapnugujarat

ચોકીદાર જે કહે તે કરીને બતાવે છે : નરેન્દ્ર મોદી

aapnugujarat

असम में बांग्लादेश सीमा से घुसपैठ की कोई घटना नहीं : नित्यानंद राय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1