જીવનસાથી ગ્રુપ દ્રારા આયોજીત પ્રથમ વણકર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સમેલન તા ૨૩/૧૨/૨૦૧૮ના રોજ સવાર ૯-૦૦ થી ૨-વાગ્યા સુધી ડૉ બાબા સાહેબ આંબેડકર રાષ્ટીય ફાઉન્ડેશન ઓપન એર થિયૅટર રાણીપ ખાતે યોજાઈ ગયું, જેમાં આશરે ૪૫૦ જેટલા યુવક-યુવતી ઓએ ભાગ લીધો હતો, જેમાં શ્રી સાંસદ કિરીટભાઈ સોલંકી, અમદાવાદ ડે મેયર શ્રી દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી ચેરમેન હાઉસિંગ કમિટી શ્રી ભદ્દેશભાઈ મકવાણા, નાસ્તાનાં દાતાશ્રી વિનોદભાઈ પી નંદા, પાણીનાં દાતા જમનાબેન એમ મકવાણા, ચા ના દાતા શ્રી ખુશાલભાઈ એમ મકવાણા સહિતનાં વ્યકિતએ તમામ લોકોને ડૉ બાબા સાહેબ આંબેડકરના કેલેન્ડર દાનમાં આપ્યાં હતાં. સંપૂર્ણ કેલેન્ડરનાં આયોજનકર્તા શ્રી ભીખાભાઈ એ મકવાણા તથા સમગ્ર પરગણા વણકર સમાજના શ્રી જિજ્ઞેશ બી કાપડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તમામ જીવનસાથી ગ્રુપ હોદેદારોએ હાજરી આપી હતી
આગળની પોસ્ટ