Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૯-૧૧ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર : ચાલુ સત્રથી જ અમલ

રાજ્યભરની શાળાઓમાં બીજા સત્રનું શિક્ષણકાર્ય અત્યારે ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષાની નવી પેપર સ્ટાઇલ જાહેર કરાઇ છે. મોટા ફેરફાર સાથે જાહેર કરેલા આ પરિરૂપમાં ધોરણ-૯ના ભાષાના ૩ વિષય અને ધોરણ-૧૧ના ભાષાના છ વિષયને આવરી લેવાયા છે, જેમાં ધોરણ-૧૧ના તમામ પ્રવાહમાં ભાષાના વિષય માટે એકસરખી પેપર સ્ટાઇલ રહેશે. નોંધનીય વાત એ છે કે, નવી પરીક્ષા પધ્ધતિની અમલવારી ચાલુ સત્રથી જ કરવામાં આવશે, જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થોડીઘણી નારાજગી અને દ્વિધા પ્રવર્તી રહી છે. નવી પરીક્ષા પધ્ધતિ મુજબ, ધોરણ-૧૧માં ગુજરાતી (પ્રથમ) વિષયની ૫૦ માર્કની બીજી પરીક્ષામાં ૩૯ પ્રશ્ન પુછાશે. ૧૦ ગુણના ૧૭ હેતુલક્ષી પ્રશ્ન અને ૧૨ ગુણના ૧૬ અતિ ટૂંકા જવાબી પ્રશ્ન ૪ ગુણના, ૨ ટૂંકા જવાબી ૧૬ ગુણના, ૨ લાંબા અને ૮ ગુણના ૨ નિબંધ પ્રકારના પ્રશ્ન પુછાશે, જ્યારે હેતુ પ્રમાણે ૧૨ ગુણના જ્ઞાન, ૬ ગુણના સમજ, ૧૨ ગુણના ઉપયોજન, ૮ ગુણના સંયોજન, વિશ્લેષણ અને ૧૨ ગુણના અનુમાન મૂલ્યાંકનના પ્રશ્ન પુછાશે. ધોરણ-૧૧ અંગ્રેજી પ્રથમ ભાષામાં ૧૪ હેતુલક્ષી, ૬ અતિ ટૂંકા જવાબી, ૭ ટૂંકા જવાબી, ૩ ટૂંકા જવાબી, ૧ લાંબો-૧ નિબંધ પ્રકારનો એમ કુલ ૩૨ પ્રશ્ન પુછાશે, જેમાં લિટરેચરના ૨૦ ગુણ રહેશે. ધોરણ-૧૧ના ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૬ હેતુલક્ષી, ૧૨ અતિ ટૂંકા જવાબી, ૨ ટૂંકા જવાબી, ૪ લાંબા, ૧ નિબંધ પ્રકાર મળીને કુલ ૩૫ પ્રશ્ન પુછાશે. વિભાગ-સી અને વિભાગ-ઇના મળીને ૧૨ માર્કના પ્રશ્ન પુછાશે. ધોરણ-૧૧ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા જવાબી, ૩ ટૂંકા, ૬ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે. લેખનકાર્ય ૧૪ ગુણનું હશે. ધોરણ-૧૧ના સંસ્કૃતમાં ૧૦ હેતુલક્ષી, ૧૧ ટૂંકા, ૪ લાંબા કુલ ૨૫ પ્રશ્ન પુછાશે. ધોરણ-૯ અંગ્રેજી દ્વિતીયમાં ૧૪ હેતુલક્ષી (અતિ ટૂંકા), ૧૦ ટૂંકા, ૧ લાંબો, ૧ નિબંધ કુલ ૩૪ પ્રશ્ન હશે. ધોરણ-૯ ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા, ૪ ટૂંકા, ૫ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે, જ્યારે ધોરણ-૯ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૭ અતિ ટૂંકા, ૮ ટૂંકા, ૨ લાંબા, ૧ નિબંધ, કુલ ૨૮ પ્રશ્ન અને ગદ્ય-પદ્ય વિભાગના ૧૩ પ્રશ્ન પુછાશે. બોર્ડ દ્વારા કરાયેલા પરીક્ષા પધ્ધતિના ફેરફારને લઇ બીજીબાજુ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી અને દ્વિધાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

Related posts

સીએસ ફાઇનલ પરિણામોમાં અમદાવાદનાં ત્રણ વિદ્યાર્થીઓ

aapnugujarat

કર્ણાવતી યુનિ. યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018નુ આયોજન કરશે

aapnugujarat

ુવડોદરામાં ૧૮ જૂને વડાપ્રધાન મોદીના હસ્તે વિશ્વવિદ્યાલયના સંકુલનું શિલાન્યાસ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1